આ વર્ષે સમગ્ર ગુજરાત અને મુંબઈ માંથી ટોટલ 1285 થી વધુ વાર્તાઓ, 117 શિક્ષકો, 18 થી 20 દિવ્યાંગ વિદ્યાર્થીઓ, 6 અંગ્રેજી અને 16 હિન્દી વાર્તાઓ આવી હતી.
આ વખતે મોબાઈલ, ટેબ્લેટ , અવકાશી યુદ્ધ, સ્વચ્છતા, પર્યાવરણ, સુપર વુમન, એલિયન , પરી જેવા સાંપ્રત અને સકારાત્મક વિષયો સાથે ભૂત,ડાકણ ,ચુડેલ જેવા નકારાત્મક વિષયો પણ હતા. ગયા વર્ષ ની જેમ આ વર્ષે પણ દીકરીઓ વાર્તા-સ્પર્ધા માં મેદાન મારી ગઈ છે.
24 ફેબ્રુઆરી 2019 ના રોજ યોજાયેલ ઇનામ સમારંભ માં મુખ્ય મહેમાન તરીકે બાળ સાહિત્ય ના રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા માનનીય શ્રી ચંદ્રકાંત શેઠ, અતિથિ વિશેષ તરીકે સૌને ચકલી ચળવળ નું ઘેલું લગાડનાર શ્રી જગત કીનખાબવાલા,બાળ સાહિત્ય ના રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા માનનીય શ્રી હરીશ નાયક તથા ઓરિગામી કળા ના જાણીતા કસબી શ્રી જયંત ધરમશી હાજર રહ્યાં હતા.સમગ્ર પ્રોગ્રામ નું સંચાલન જાણીતા કવિ અને વાર્તાકાર પ્રજ્ઞાબેન પટેલે કર્યું હતું.